ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે.., 29 June

ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે..

Achyut Production

Highlights

Sun, 29 Jun, 2025 at 08:30 pm

1.5 hours

Kalasmruti by sscc

Starting at INR 49

14+ people are Interested

Date & Location

Sun, 29 Jun, 2025 at 08:30 pm to 10:00 pm (IST)

Kalasmruti by sscc

Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Gujarat 380054, Ahmedabad, India

Save location for easier access

Only get lost while having fun, not on the road!

Interested Audience

14+ people are Interested

About the event

ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે..

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું અને બેય કાંઠાની ભેંસો ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી પૂંછડાં ફંગોળી ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી. પાસેની ગીરમાંથી સાવઝની ડણકો સંભળાતી.


બેય કાંઠે પારેવાંના માળા જેવા આહીરોના બે નેસડા પડ્યા છે. સવાર-સાંજ ભેંસોના આંચળની શેડ્યોને ધમોડે અને છાશને વલોણે બેય નેસડા સીમ બધી ગજવી મેલે છે. અંદર સળી ઊભી રહી જાય એવાં ઘાટાં દૂધ દોણાંમાં સમાતાં નથી. વલોણાં ઘુમાવતી આહીરાણીઓ નેતરાં ઉપર આખા અંગને એવી તો છટાથી નીંડોળે છે કે જાણે શરીરમાંથી રૂપની છોળો છલકાઈ ઊઠે છે. કાયાનાં સરોવર જાણે હેલે ચડે છે.


પહોર દિવસ ચડતાં બેય નેસડામાંથી ભેંસો ઘોળીને બે છોકરાં નીકળે છે : એક છોકરો ને એક છોકરી : બેયની દસબાર વરસની અવસ્થા વહી જાય છે. છોકરાને ઉઘાડે માથે વેંતવેંતનાં ઓડિયાં ઓળેલા હોય છે. ને છોકરીનો મીંડલા લઈને વાળેલ મોટો અંબોડો ભાતીગળ લૂગડાની કુચલીમાં ઢંકાયેલો હોય છે. બેયના હાથમાં લાકડી; બેય આંબલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાતરા ગોતી કાઢી લાકડીને ઘાએ મનધાર્યાં નિશાન આંટીને પાડી નાખે અને વહેંચી ખાય. વાંદરાં જેવાં રમતિયાળ બે છોકરા ગોંદરાનાં ઝાડની ઘટામાં ઓળકોળાંબો રમે છે. પણ ઘણી વાર છોકરી એ છોકરાને ઝાલી લે છે. પણ ઘણી વાર તો છોકરો જાણીબૂઝીને જ પોતાને ઝાલવા દે છે. આણલદેને ઝાલવી તે કરતાં એના હાથે ઝલાવું એમાં દેવરાને વધુ આનંદ પડતો. ઘણી વાર તો આ જાણીજોઈને ઝલાઈ જવાની દેવરાની ​દાનત દેખાઈ આવતી. આણલદે ખિજાઈને કહેતી કે “તો કાંઈ નહિ બાઈ ! આવી રમતમાં શી મઝા પડે ? સાચુકલો તો તું દોડતો નથી ને !”


“તો તો સવારથી સાંજ સુધીય તારે માથેથી દા નહિ ઊતરે ખબર છે ?”

Event photos

Event Tags

Ticket Info

Tickets for ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે.. can be booked here.

Tickets from INR 49
ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે.., 29 June
ઝવેરચંદ મેધાણી ની કૃત વાર્તા પરથી આણલદે..
Sun, 29 Jun, 2025 at 08:30 pm
INR 49